કેતન પ્રણામી અરવલ્લી
લોક ડાઉન ને અનુલક્ષીને તથા અંતરિયાળ વિસ્તારો અને મોટી સોસાયટીઓ જ્યાં નજીકમાં કોઈપણ બેંકના એ.ટી.એમ. આવેલા નથી એમને લોક ડાઉનના સમયગાળામાં નાણાં ઉપાડવાની સરળતા માટે બેંક ઓફ બરોડા દ્વારા નવિન પહેલ કરસ મોબાઈલ એ.ટી.એમ.વાહનની સુવિધા શરૂ કરવામાં આવી છે. તેનો શુભારંભ જિલ્લા કલેકટર શ્રી અમૃતેશ ઔરંગાબાદકરે કરાવ્યો હતો. આ સમયે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ. અનિલ ધામેલીયા અને જિલ્લા પોલીસ વડા શ્રી મયુર પાટીલ ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લા કલેકટરશ્રી એ આ એક ખૂબ જ સરસ અને લોક ડાઉન ના સમયમાં ઉપયોગી પહેલ છે એવા શબ્દો સાથે અભિનંદન આપ્યા હતા અને શુભકામનાઓ પાઠવી હતી. તેમણે જણાવ્યું કે આ મોબાઇલ એટીએમ દૂર દરાઝના વિસ્તારોમાં ફરશે જેથી લોકોને નાણાં ઉપાડવાની સરળતા થશે.
જિલ્લામાં વાહનમાં ચાલતા ફરતા એ.ટી.એમ ની સુવિધા લોકોને ઉપલબ્ધ કરાવી છે. પ્રત્યેક નાણાંકીય વ્યવહાર પછી આ એટીએમ ના કી બોર્ડને સેનેટાઈજ કરવામાં આવશે એવી જાણકારી આપતાં શ્રી રીજીયન મેનેજર વી.સી.ઉપાધ્યાય અને લીડ બેંક મેનેજર હરીશ પટેલના જણાવ્યુ હતુ કે, સંપૂર્ણ મોબાઈલ વાનને પણ તકેદારી રૂપે સમયાંતરે સેનેતાઇઝ કરાશે. કોઈપણ બેંકનું કાર્ડ ધરાવનાર નાણાં ઉપાડી શકશે.
ખાસ કરીને અંતરિયાળ વિસ્તારો અને શહેરની સોસાયટીઓ કે જેમની નજીકમાં એટીએમ નથી એને અગ્રતા આપવામાં આવશે.જ્યાં આ વાન થોભશે ત્યાં માઇક દ્વારા જાહેર સૂચના પણ આપવામાં આવશે વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર સાથે સંકલન હેઠળ સેવા અપાશે. હાલમાં એટીએમ વ્યવહાર માટે લાગતો ચાર્જ જતો કરવામાં આવ્યો છે એટલે અન્ય બેન્કોના ખાતેદારો ઉપાડ કરી શકશે.
લોક ડાઉન ને અનુલક્ષીને તથા અંતરિયાળ વિસ્તારો અને મોટી સોસાયટીઓ જ્યાં નજીકમાં કોઈપણ બેંકના એ.ટી.એમ. આવેલા નથી એમને લોક ડાઉનના સમયગાળામાં નાણાં ઉપાડવાની સરળતા માટે બેંક ઓફ બરોડા દ્વારા નવિન પહેલ કરસ મોબાઈલ એ.ટી.એમ.વાહનની સુવિધા શરૂ કરવામાં આવી છે. તેનો શુભારંભ જિલ્લા કલેકટર શ્રી અમૃતેશ ઔરંગાબાદકરે કરાવ્યો હતો. આ સમયે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ. અનિલ ધામેલીયા અને જિલ્લા પોલીસ વડા શ્રી મયુર પાટીલ ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લા કલેકટરશ્રી એ આ એક ખૂબ જ સરસ અને લોક ડાઉન ના સમયમાં ઉપયોગી પહેલ છે એવા શબ્દો સાથે અભિનંદન આપ્યા હતા અને શુભકામનાઓ પાઠવી હતી. તેમણે જણાવ્યું કે આ મોબાઇલ એટીએમ દૂર દરાઝના વિસ્તારોમાં ફરશે જેથી લોકોને નાણાં ઉપાડવાની સરળતા થશે.
જિલ્લામાં વાહનમાં ચાલતા ફરતા એ.ટી.એમ ની સુવિધા લોકોને ઉપલબ્ધ કરાવી છે. પ્રત્યેક નાણાંકીય વ્યવહાર પછી આ એટીએમ ના કી બોર્ડને સેનેટાઈજ કરવામાં આવશે એવી જાણકારી આપતાં શ્રી રીજીયન મેનેજર વી.સી.ઉપાધ્યાય અને લીડ બેંક મેનેજર હરીશ પટેલના જણાવ્યુ હતુ કે, સંપૂર્ણ મોબાઈલ વાનને પણ તકેદારી રૂપે સમયાંતરે સેનેતાઇઝ કરાશે. કોઈપણ બેંકનું કાર્ડ ધરાવનાર નાણાં ઉપાડી શકશે.
ખાસ કરીને અંતરિયાળ વિસ્તારો અને શહેરની સોસાયટીઓ કે જેમની નજીકમાં એટીએમ નથી એને અગ્રતા આપવામાં આવશે.જ્યાં આ વાન થોભશે ત્યાં માઇક દ્વારા જાહેર સૂચના પણ આપવામાં આવશે વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર સાથે સંકલન હેઠળ સેવા અપાશે. હાલમાં એટીએમ વ્યવહાર માટે લાગતો ચાર્જ જતો કરવામાં આવ્યો છે એટલે અન્ય બેન્કોના ખાતેદારો ઉપાડ કરી શકશે.